જુલાઇ મહિનામાં જ લો કોસ્ટ ફંડ લોન્ચ કરવા માટે જાણીતી નવી મ્યુચ્યુઅલ ફંડે ઓવર નાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લોન્ચ કરી. આ એક એવી ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જે ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે અને તેનો મેચ્યોરિટી પીરિયડ એક દિવસનો જ હોય છે.
વેલ્યૂ ફંડમાં ફંડ મેનેજર એવા શેરોમાં રોકાણ કરે છે જેનું મૂલ્ય ઓછું હોય છે. સેબીના નિયમો અનુસાર આ પ્રકારના ફંડમાં 65% રોકાણ શેરનું કરવું જરૂરી હોય છે.
સ્થાનિક ઉપરાંત વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. જે રીતે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દર વધાર્યા છે અને એજન્સીઓ એક્ટિવ થઇ છે તે જોતા ધારણા કરી શકાય કે આગળ જતા બેન્કોના પ્રોફિટ પર દબાણ આવશે. જેને કારણે શેરોમાં ઉપરના સ્તરેથી કરેક્શન જોવા મળ્યું છે. જોકે હજુ પણ ઘણી બેન્કોનું વેલ્યૂએશન મોંઘું છે અને બેન્કિંગ શેરોમાં રોકાણ કરતા પહેલાં ઘટાડાની રાહ જોઇ શકાય છે.
EMI આધારિત પર્સનલ રિટેલ લોનની બાબતમાં RBIએ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના ગ્રાહકોને મોટી રાહત આપી છે.. રિઝર્વ બેંકે ગ્રાહકોને એ બાબતની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે કે તેઓ જાતે એ નક્કી કરી શકે કે ફિકસ્ડ રેટ પર વ્યાજ ચૂકવવું છે કે ફ્લોટિંગ રેટ પર
પોલિસી બજારનો સર્વે જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સારવારના ખર્ચમાં બેગણાથી વધુની વૃદ્ધિ થઇ છે. વર્ષ 2018 દરમિયાન હોસ્પિટલમાં સારવારનો એવરેજ ખર્ચ 24,569 રૂપિયા હતો જે 2022માં વધીને 64,135 રૂપિયા થઇ ગયો.
RBIએ હાલમાં જ FLDGના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોના કારણે BNPL કંપનીઓએ પોતાની લોન અંડરરાઇટિંગ પ્રોસેસને કડક કરી દીધી છે.
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં લોકોએ ક્રિપ્ટો કરન્સી અને લોટરીમાં વધુ રોકાણ કરેલું છે. લોકો ઓછા સમયમાં વધુ ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં આવા જોખમી રોકાણ સાધનો તરફ આકર્ષાઇ રહ્યા છે. પરંતુ અંતે આવા રોકાણકારોને હતાશા જ હાથ લાગે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ એક વધુ સલામત રોકાણ સાધન તરીકે ઉભર્યા છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે કેવી રીતે સલામત છે તે વિશે વિગતવાર ચર્ચા કરી રહ્યા છે કોટક મહિન્દ્રા AMCના MD નિલેશ શાહ.
અકસ્માતના કારણે મૃત્યુ કે ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સા વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં કમાઉ વ્યક્તિની આવક પર મોટો ફટકો પડે છે અને પરિવાર આર્થિક સંકટનો સામનો કરે છે. આવી સ્થિતિથી બચવું હોય તો તમારે પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ લેવો જોઈએ.
મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ લોકોને જાગૃત કરવાની દિશામાં ભરપૂર કામ થઇ ચૂક્યું છે. હવે એ દિશામાં કામ કરવાની જરૂરિયાત છે કે કેવા પ્રકારના રોકાણકાર માટે કયું મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે, આવું કહેવું છે દેશના સૌથી મોટા મ્યૂચ્યુઅલ ફંડ SBI Mutual Fundના DMD & Joint CEO, D.P. SINGHનું . Money9ના કાર્યક્રમ Money Monkમાં Money9ના એડિટર અંશુમાન તિવારી સાથે વાતચીતમાં ડી.પી.સિંહે આ પ્રકારનું નિવેદન આપ્યું.
સીનિયર સીટિઝન માટે માર્કેટમાં વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યૉરન્સ પ્લાન ઉપલબ્ધ છે. પણ તમામ પ્લાનમાં અનેક છૂપી શરતો છે. આટલા બધા પ્લાનમાંથી કયો પ્લાન ઘરડાં લોકોની મદદ કરી શકે, તે સમજીએ...